દેશમાં કોરોનાના નવા પ્રકાર ઓમિક્રોનને કારણે મોતનો પહેલો કેસ સામે આવ્યો છે. જોકે મહારાષ્ટ્ર સરકારે મૃત્યુનું કારણ કોરોના થી થયું પણ તેમના મૃત્યુ બાદ નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજીના રિપોર્ટમાં તે ઓમિક્રોન સંક્રમિત હોવાનું જણાવ્યું છેઆ વ્યક્તિ તાજેતરમાં નાઈજીરિયાથી પાછો આવ્યો હતો.તે વ્યક્તિ 52 વર્ષના છે અને તેમનું હાર્ટ એટેકથી મૃત્યુ થયું હતું. આ વ્યક્તિ પિંપરી ચિંચવડમાં સારવાર લેતો હતો મહાનગરપાલિકાની હોસ્પિટલમાં તેની સારવાર ચાલી રહી હતી.તે લગભગ 13 વર્ષથી ડાયાબિટીસથી પીડાતો હતો
વાસ્તવમાં મહારાષ્ટ્રમાં ફરી એકવાર સ્થિતિ બગડી રહી છે રાજ્યમાં 24 કલાકમાં સૌથી વધુ 5 હજાર 368 કેસ નોંધાયા છે. મહારાષ્ટ્રના મંત્રી બાલાસાહેબ થોરાટ પણ કોરોનાની સંક્ર્મણ થયા છે ગુરુવારે કોરોના વાયરસના નવા સ્વરૂપ ઓમિક્રોનના 198 નવા કેસ નોંધાયા હતા જેમાંથી 190 કેસ ફક્ત મુંબઈમાં નોંધાયા હતા. રાજ્યમાં નોંધાયેલા 198 નવા ઓમિક્રોન કેસમાંથી માત્ર 30 જ તાજેતરમાં વિદેશ પ્રવાસે ગયા હતા. થાણે શહેરમાં ઓમિક્રોનના ચાર કેસ નોંધાયા છે જ્યારે સતાર, નાંદેડ, પુણે અને પિંપરી ચિંચવાડ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારોમાં પ્રત્યેક એક કેસ નોંધાયો છે.મહારાષ્ટ્રમાં ફરીવાર સૌથી ખરાબ સંકટજો અત્યારે મુંબઈમાં જે સ્થિતિ જોવા મળી રહી છે તેવી જ સ્થિતિ રહી તો મુંબઈમાં દરરોજ 50 હજારથી લઈને 1 લાખ સુધી કોરોનાના નવા કેસો આવે તેવી શક્યતા છે કોરોના સંક્રમણની ઝડપ રોકવા માટે મહારાષ્ટ્ર સરકાર દર 24 કલાકે ટાસ્ક ફોર્સ સાથે બેઠક કરી રહી છે. આગામી 24 કલાકમાં રાજ્ય સરકાર મોટો નિર્ણય લઈ શકે છે. એક વાત સ્પષ્ટ છે કે ગત વખતની જેમ મહારાષ્ટ્ર ફરી એકવાર સૌથી વધુ મુશ્કેલીમાં જોવા મળી રહ્યું છે