રાજકીય પાર્ટીઓ માટે ચૂંટણીની વ્યૂહાત્મક રણનીતિ ઘડનારા પ્રશાંત કિશોરે રાહુલ ગાંધી પર તેમનું નામ લીધા વગર શાબ્દિક પ્રહારો કર્યા છે.
પ્રશાંત કિશોરે કહ્યુ હતુ કે, કોંગ્રેસની લીડરશીપ એ કોઈ ચોક્કસ વ્યક્તિને દેવીય અધિકારી મળ્યો નથી અને તે પણ એવા સમયે જ્યારે 10 વર્ષમાં કોંગ્રેસ પાર્ટી 90 ટકા ચૂંટણીઓમાં હારનો સામનો કરી રહી છે. ભાજપ સામે વિપક્ષનું નેતૃત્વ કોણ કરશે તેનો નિર્ણય લોકશાહી પદ્ધતિ દ્વારા થવો જોઈએ.
પ્રશાંત કિશોરનુ નિવેદન બંગાળના સીએમ મમતા બેનરજીના બે દિવસના મહારાષ્ટ્ર પ્રવાસ બાદ આવ્યુ છે. ગઈકાલે મમતા બેનરજીએ મુંબઈમાં એક કાર્યક્રમમાં રાહુલ ગાંધીના રોલને લઈને પૂછાયેલા પ્રશ્ન પર કહ્યું હતુ કે, કોઈ વ્યક્તિ સતત વિદેશમાં રહેશે તો કેવી રીતે ચાલશે.
કે ઉપરાંત મમતા બેનરજીએ કહ્યુ હતુ કે, હું એક નાની કાર્યકર્તા છું અને કાર્યકર્તા જ રહેવા માંગુ છું. મમતા બેનરજીના નિવેદન બદલ કોંગ્રેસી નેતાઓએ તેમનો વિરોધ કર્યો હતો. તેવામાં હવે પ્રશાંત કિશોરે પણ રાહુલ ગાંધીને ટાર્ગેટ કર્યા છે.