ભારતીય નૌસેનાના નવા અધ્યક્ષ તરીકે એડમિરલ આર હરિ કુમારે કાર્યભાર સંભાળી લીધો છે. આજે ચીફ એડમિરલ કરમબીર સિંહે તેમને નૌસેનાની કમાન સોંપી દીધી છે. એડમિરલ આર હરિ કુમારને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યુ હતુ.
આ પહેલા તેઓ નૌસેનાના પશ્ચિમી કમાનના વડા હતા. તેમણે ચાર્જ સંભાળતાની સાથે જ પોતાના માતા વિજય લક્ષ્મીના આશીર્વાદ લીધા હતા. આ દરમિયાન વિદાય લઈ રહેલા નૌસેના અધ્યક્ષ એડમિરલ કરમબીર સિંહે કહ્યુ હતુ કે, 30 મહિના સુધી મને નૌસેનાની કમાન સંભાળવાનુ સન્માન મળ્યુ હતુ. એક યોગ્ય લીડરશીપના હાથમાં નૌસેનાને હું સોંપી રહ્યો છુ.

એડમિરલ આર હરિ કુમારે કહ્યુ હતુ કે, હું એડમિરલ કરમબીર સિંહના નેતૃત્વ તેમજ માર્ગદર્શન માટે આભારી છું. એડમિરલ આર હરિ કુમારે 1983માં નેવી જોઈન કરી હતી. 38 વર્ષની નોકરીમાં તેઓ નૌસેનાના એરક્રાફટ કેરિયર આઈએનએસ વિરાટ તેમજ બીજા યુધ્ધ જહાજોના કમાન્ડિંગ ઓફિસર પણ રહી ચુકયા છે.