રાજકોટમાં કોરોના ની સ્થિતિ યથાવત છે અને છેલ્લા 24 કલાકમાં 69 દર્દીના મોત થયા નું નોંધાયું છે. ગઇકાલે પણ 59 દર્દીના મોત થયા જે પૈકી 11 દર્દીના કોવિડથી મોત થયાનો ડેથ ઓડિટ કમિટી દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું. આજે બપોર સુધીમાં નવા 166 કેસ નોંધાતા કુલ કેસની સંખ્યા 36990 પર પહોંચી છે. તેમજ અલગ અલગ હોસ્પિટલમાં 3544 દર્દી સારવાર હેઠળ છે. ગઇકાલે 514 દર્દી કોરોનામુક્ત થતા ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો. આજે સૌરાષ્ટ્ર જીનીગ એસોસિએશન અને સૌરાષ્ટ્રમાં જીનીગ ક્ષેત્રના મોટું નામના ધરાવતા ઉદ્યોગપતિપ્રમુખ ભરતભાઈ વાળાનું કોરોનાથી નિધન થયું છે. તેઓ ખાનગી હોસ્પિટલમાં 10 દિવસથી સારવાર હેઠળ હતા. હાલ રાજકોટની કેન્સર હોસ્પિટલના કોવિડ કેર સેન્ટરમાંથી એપ્રિલ માસ દરમિયાન 468 દર્દીઓ સારવાર મેળવી સાજા થઇને ઘરે પરત ફર્યા છે,
દરમ્યાન રાજકોટ શહેરમાં આજે બપોરે 1 વાગ્યા સુધીમાં કોરોના સામેની રસીકરણમાં 18 વર્ષથી 44 વર્ષના કુલ 2563 અને 45 વર્ષથી મોટી ઉંમરના કુલ 3786 સહિત કુલ 6349 નાગરિકોએ રસી લીધી હતી.હાલ રાજકોટમાં શહેર પોલીસ દ્વારા કોરોનાની માર્ગદર્શિકાનું ચુસ્તપણે પાલન કરનાર શ્રેષ્ઠ સોસાયટી, ગામ અને વેપારી એસોસિએશનને પણ માસ્ક અને સૅનેટાઇઝર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આમ રાજકોટમાં ગ્રામ્ય વિસ્તારમાં પણ કોરોના ના કેસો માં ઉછાળો આવ્યો છે.