સરકારી નોકરી માં બખ્ખા છે ગમેતેવી મંદી આવે તો પણ સરકારી તગડો પગાર ચાલુ જ રહે અને ખાનગી નોકરી વાળા શેઠિયા ઉઠી જાય તો પગાર પણ આપે નહિ આમ સરકારી અને ખાનગી વચ્ચે આટલો ફેર છે પણ ઘણા કિસ્સામાં સરકારી પગાર તો ખરો પણ વધારા ની બે નંબર ની ઈન્કમ પણ ખરીજ આવા કેટલાય સરકારી બાબુઓ એસીબી ની ઝપેટ માં ચડે છે ત્યારે અમરેલીના એએસઆઈ પ્રકાશસિંહ રાઓલ વિરુદ્ધ 1.45 કરોડથી વધુ અપ્રમાણસર મિલકત મળતા ગુનો નોંધાયો છે. હાલમાં ફરજ મોકૂફ એવા એએસઆઈ છેલ્લા કેટલાય સમયથી રડાર ઉપર હતા, જેમાં તેમની સ્થાવર અને જંગમ મિલકત તેમ જ બેંક એકાઉન્ટની વિગતો ચકાસતા તેમની પાસેથી મિલકત તેમજ રોકડ મળી આવતા કાર્યવાહી હાથ ધરાઈ છે.
એસીબીને એક નનામી અરજી મળી હતી, જેમાં અમરેલીમાં ફરજ બજાવતા એએસઆઈ પ્રકાશસિંહ રણજિતસિંહ રાઓલ પાસે ગેરકાયદે પ્રવૃત્તિઓ કરવાના આક્ષેપ સાથે તેમની પાસે અપ્રમાણસર મિલકત હોવાની વાત જણાવવામાં આવી હતી, જે અરજી ના ભાગરૂપે એસીબીએ પ્રકાશસિંહ અને તેમના પરિવારજનોના બેંક એકાઉન્ટ તેમજ અન્ય સ્થાવર-જંગમ મિલકત અંગેની તપાસ કરતા સાચી વિગતો બહાર આવી હતી.
સરકારી કચેરીઓમાં પણ તેમની કાયદેસરની આવક અંગેની તપાસ કરાઈ હતી, જેમાં તેમની પાસે રૂ. 1.45 કરોડથી વધુની મિલકત મળી આવતા તેમની વિરુદ્ધ એસીબી દ્વારા અપ્રમાણસર મિલકતનો ગુનો દાખલ કરવામાં આવતા અન્ય લાંચિયા તત્વો ફફડી ઉઠ્યા છે.
