રાજકોટઃ નાની નાની બાબતોમાં હત્યા કરવામાં આવતી હોવાની ઘટનાઓ છાસવારે બનતી રહે છે. ત્યારે રાજકોટમાં માત્ર 100 રૂપિયાના ઉછીના લીધેલા રૂપિયા માટે યુવકની હત્યા કરાઈ હોવાની ઘટના બની હતી. આ અંગે પોલીસે બે મિત્રોની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથધરી હતી.
પ્રકાશભાઇ મહાનગરપાલિકામાં સફાઇ કામદાર તરીકે નોકરી કરે છે. જેનો પુત્ર ગાંધી મ્યુઝિયમમાં છુટક કામ કરવા જતો હતો તેના માતા દિપાબેન પરાબજાર નાગરિક બેંકમાં કોન્ટ્રાકટ બેઝ પર સફાઇ કામદાર તરીકે કામ કરે છે. પ્રકાશભાઇએ પોલીસને જણાવ્યું છે કે બુધવારે 14મીએ મારા ભાઇ સાહિલનો ફોન આવ્યો છે અને વાત કરી છે કે તમારા દિકરા આયુષને મારામારીમાં લાગી ગયું છે અને તેને સિવિલમાં લઇ ગયા છે જ્યાં ડોકટરે મારા દિકરાને મૃત જાહેર કર્યો હતો.
આ વખતે આયુષના મિત્ર નિતીન વાઘેલાએ મને કહ્યું હતું કે નિતીન બપોરે ઘરે શેરીમાં હતો ત્યારે આયુષે મને ફોન કરી કહેલું કે નવા થોરાળામાં રહેતાં ડેવિલ સોલંકી સાથે બે દિવસ પહેલા મારે બોલાચાલી થઇ હતી. આથી હું પાંજરાપોળ ગયો હતો ત્યારં આયુષ ઉભો હતો જતાથી હું આયુષના બાઇકની પાછળ ગયો હતો.
વધુમાં જણાવ્યું કે, અમે થોરાળા વાલ્મીકીવાસમાં રામાપીરના મંદિર પાસે પહોંચ્યા ત્યારે ત્યાં મારો મિત્ર આદિત્ય ગોરી અને પ્રશાંત વાઘેલા પણ હતાં. થોડીવાર પછી ડેવિલ સોલંકી, કેવલ સોંદરવા આવ્યા હતાં. ડેવિલે નિતીનને અને આયુષને ગાળો દીધી હતી અને ‘બે દિવસ પહેલા શું પાવર કરતા’તા?’ કહી ડેવિલે મને ઝાપટ મારી દીધી હતી. એ પછી આયુષને પાટુ મારતાં તે પડી ગયો હતો.
આ વખતે કેવલે છરી કાઢેલ અને હું આયુષને ઉભો કરતો હતો ત્યારે કેવલે મને છરીના ઘા ડાબા હાથ પર મારી દીધો હતો. પ્રશાંત વાઘેલા અને આદિત્ય ગોરી તથા ડેવિલ અને શેરીમાંથી આવેલા અજાણ્યા છોકરાએ મળી અમને બંનેને આડેધડ ઢીકાપાટાનો માર માર્યો હતો.
આ વખતે કેવલે છરી કાઢી આયુષને ઘા માર્યા હતાં. માણસો ભેગા થઇ જતાં હું તથા આયુષ ભાગ્યા હતાં. આયુષને ફોન કરી કયાં છો? પુછતાં તેણે કહેલ કે મને લોહી નીકળે છે એટલુ બોલેલો અને ફોન કપાઇ ગયો હતો. એ પછી મારા કાકાએ વાત કરેલી કે આયુષને ગંભીર ઇજા થઇ છે અને દવાખાને લઇ ગયા છે. આથી હું હોસ્પિટલે આવતાં આયુષ મૃત્યુ પામ્યાની ખબર પડી હતી.
આયુષ થોરાળામાં જ્યાં હુમલો થયો ત્યાંથી ભાગતો ભાગતો છેક ચુનારાવાડ ટ્રેકટર ચોક સુધી આવ્યો હતો અને અહિ પડી ગયો હતો. અહિ બધા લોકો ભેગા થયા હતાં. આયુષે અગાઉ ડેવિલ સોલંકી પાસેથી રૂ. 100 ઉછીના લીધા હતાં. તે રૂપિયા ડેવિલે પાછા માંગતા બંને વચ્ચે બોલાચાલી થઇ હતી. બે દિવસ પહેલાની આ માથાકુટનું સમાધાન કરવા હું અને આયુષ ગયા હતાં ત્યારે મારામારી થઇ હતી અને હુમલો થયો હતો. તેમ વધુમાં નિતીને જણાવ્યું હતું.