રાજકોટ શહેરમાં વધુ એક હત્યાની ઘટના સામે આવી છે. શહેરના ભાવનગર રોડ પર આજે બપોરના સમયે 16 વર્ષના તરુણની4થી 5 અજાણ્યા શખ્સો દ્વારા છરીના ઘા ઝીંકી હત્યા નિપજાવવામાં આવી છે. બનાવની જાણ થતાની સાથે થોરાળા પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથધરી હતી. આ અંગે થોરાળા પોલીસ સ્ટેશનના PI બી.એમ.કાતરીયાના જણાવ્યા મુજબ આજે બપોરના સમયે તરુણની છરીના ઘા ઝીંકી 4 થી 5 શખ્સો દ્વારા ચુનારાવાડ ચોકમાં હત્યા નિપજાવવામાં આવી છે. બે દિવસ પૂર્વે મોબાઇલ લેતી દેતી મામલે બબાલ થઇ હતી જેના સમાધાન માટે આજે બોલાવી બાદમાં આદિત્ય ગોરી, પ્રશાંત વાઘેલા, કેવલ સહિત શખ્સો છરી વડે હુમલો કર્યો હતો જેનું સારવાર દરમિયાન મોત નિપજતા પોલીસે મૃતદેહને સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી હત્યાનો ગુનો નોંધી આરોપીને પકડી પાડવા તપાસ તજવીજ હાથ ધરી છે.
