નવી દિલ્હી: દેશમાં કોરોના વાયરસની બીજી લહેત ખૂબ જ ઘાતક સાબિત થઈ રહી છે. દેશના કેટલાક રાજ્યોમં કોરોનાની સ્થિતિ કાબુમાંથી બહાર જઈ રહી છે. ખાસ કરીને મહારાષ્ટ્રમાં લોકડાઉનના એંધાણ પણ વર્તાઈ રહ્યા છે. આવી સ્થિતિમાં દેશમાં કોરોનાની સ્થિતિની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં જ દેશમાં કોરોના વાયરસના નવા 72,330 કેસ નોંધાયા છે.
બીજી તરફ આ સમયગાળા દરમિયાન 459 લોકોએ કોરોનાથી જીવ ગુમાવ્યો છે. આ સાથે જ દેશમાં કોરોનાથી કુલ મૃત્યાંક 1,62,927 થયો છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં 40,382 લોકોએ કોરોનાને મ્હાત આપી છે.
સક્રિય કેસની વાત કરવામાં આવે તો હાલ દેશમાં 5,84,055 કેસ નોંધાયેલા છે. આ સાથે જ દેશમાં કોરોનાના કુલ કેસની સંખ્યા 1,22,21,665 થઈ છે. બીજી તરફ 1,14,74,683 લોકોએ કોરોનાને મ્હાત આપી છે.
હાલ દેશમાં કોરોનાથી સાજા થવાના દર 93.9 ટકા, જ્યારે મોતનું પ્રમાણ 1.3 ટકા છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં 11,25,681 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. કોરોનાની વેક્સીનની વાત કરવામાં આવે તો અત્યાર સુધી દેશમાં 6,51,17,896 લોકોએ કોરોનાની રસી લઈ લીધી છે.
દેશમાં કુલ 459 મોત સામે એકલા મહારાષ્ટ્રમાં જ 227 લોકોનાં મોત થયા છે. મહારાષ્ટ્રમાં 39 હજાર નવા કેસ, છત્તીસગઢમાં 4.6 હજાર અને કર્ણાટકમાં 4.2 હજાર નવા કેસ નોંધાયા છે. એક્વિટ કેસની દ્રષ્ટિએ ભારત હવે વિશ્વમાં પાંચમાં નંબરે પહોંચ્યું