હોળી ફાગણ સુદ પૂનમના દિવસે આવે છે. આ વર્ષે આ પર્વ 28 માર્ચ, રવિવારના રોજ ઊજવાશે. તેના અગાઉના આઠ દિવસની ગણતરી એટલે કે 21 માર્ચ, રવિવારના રોજ હોળાસ્ટક શરૂ થઇ જશે. એક ધાર્મિક વાયકા અને ક્યાંક માન્યતા મુજબ ફાગણ સુદ આઠમના દિવસે વિષ્ણુજીએ ભક્ત પ્રહલાદને તેના પિતા અસુરરાજ હિરણ્યકશપે, વિષ્ણુ ભક્તિ કરવાથી તેને કેદ કરી અસહ્ય પીડા આપી હોવાનું ધાર્મિક કથન છે. આ દિવસો દરમિયાન ભક્ત પ્રહલાદ પર અનેક પ્રકારે તકલીફ આપી હતી. હોળીનો મહિમા અને પ્રાગટય પૂજન અંગે સંપૂર્ણ જાણકારી જ્યોતિષાચાર્ય ડો. હેમીલ લાઠીયા દ્વારા આપવામાં આવી રહી છે. અસુરરાજ હિરણ્યકશ્યપની બહેન હોલિકાના દહનથી નકારાત્મક વૃત્તિ નાશ થઈ જેના કારણે માનવ પોતાનામાં રહેલા અવગુણ, અહમ, અનાદરવૃત્તિ, ઈર્ષા, વેર, વગેરે જેવી નકારાત્મકવૃત્તિનો જીવનમાંથી નાશ થાય અને જીવન કલેશમુક્ત થાય તે હેતુથી હોળી પ્રાગટ્ય કરવાનો એક મહિમા પણ છે.
હોળી ક્યારે પ્રગટાવામાં આવે છે?
હોળી ફાગણ સુદ પૂનમ (15)ની સાંજે ભદ્રા રહિત કરણમાં પ્રદોષકાળમાં પ્રગટાવવામાં આવે તેવું શાસ્ત્રોકત મત છે.
હોળાસ્ટક પ્રારંભઃ-
તા. 21/૦3/2021 રવિવાર( સાતમ તિથિ સવારે 7:10 સુધી પછી આઠમ તિથિ છે)
સમયઃ– સવારે 7:11
હોળી પ્રાગટય પૂજનઃ-
તા. 28/03/2021 રવિવાર સાંજે 6:50 થી 7:35 (વિષ્ટી/ ભદ્રા સમાપ્ત 13:54)