ભારતીય સમાજ ની પરંપરા મુજબ એક યુવક અને યુવતી જ્યારે પવિત્ર લગ્ન ના તાંતણે બંધાય છે ત્યારે જીવનભર એકબીજા સાથે વફાદારી પૂર્વક સુખ દુઃખ માં સાથે રહેવાના કોલ અપાય છે અને દીકરી પણ જે ઘર માં જન્મ થી લઈ યુવાની સુધી પોતાના માતા પિતા , ભાઈ,બહેન સાથે ઉછરી છે તેને પારકા ઘર માં જ્યારે જવાનું બને છે ત્યારે તે સૌ પથમ માત્ર પોતાના પતિ ઉપર જ ભરોસો મૂકી ને પછી ઘર ના અન્ય સદશ્યો સાથે ધીરેધીરે એડજસ્ટ થતી હોય છે અને આજ પતિ જયારે અન્ય યુવતી ના પ્રેમ માં પાગલ બની પોતાની પત્ની ને ભોળવી ને છેતરી ને મોત ને ઘાટ ઉતારે ત્યારે કલિયુગ ની પરાકાસ્ટા કહી શકાય !
આવોજ એક બનાવ સૌરાષ્ટ્ર ના રાજકોટ માં બન્યો છે જે વાંચીને આપની આંખો ભીંજાઈ જશે.
રાજકોટ શહેરના ગાયત્રીનગરમાં રહેતો અને બાંધકામ વ્યવસાય સાથે જોડાયેલો બાલકૃષ્ણ ઉર્ફે વિપુલ વેલજી ટાંક (ઉ.વ.32) ગત તા.15ના સાંજે તેની પત્ની તરૂણા અને બે બાળકો શુભમ (ઉ.વ.2) અને ધ્રુવ (ઉ.વ.4) તથા માધાપર ચોકડી પાસે રહેતા તેના માસીયાઇ ભાઇ સિધ્ધાર્થ રમેશ રાઠોડ (ઉ.વ.19) સાથે કોઠારિયાની રામેશ્વર સોસાયટીમાં નવા બનાવેલા મકાને લઇ ગયો ત્યારે ભોળી પત્ની ને ખબર ન હતી કે પોતે જે પતિ ને પ્યાર કરે છે તે પતિના મન માં કઈક જુદું જ ચાલી રહ્યું છે.
વેચવા માટે બનાવેલા મકાનની સફાઇના નામે પત્ની તરૂણાને ત્યાં લઇ ગયા બાદ બંને બાળકોને મકાનના ઉપરના ભાગે મોબાઇલ આપી રમવા મૂકી દીધા હતા, જ્યારે પત્ની તરૂણા પોતા કરતી હતી ત્યારે પાછળથી જઇ પતિ બાલકૃષ્ણએ પોતાની પત્ની ના માથામાં લોખંડના સળિયાના ચાર ઘા ઝીંકી દીધા હતા. અચાનક ઝીંકાયેલા ઘાથી તરૂણા સ્થળ પર જ ઢળી પડી હતી અને તેનું મોત થઈ ગયું હતું. પત્નીની હત્યા કર્યા બાદ બાલકૃષ્ણએ પોતાની કાર મકાનના પાર્કિંગમાં લીધી હતી અને બાલકૃષ્ણ અને સિધ્ધાર્થે લાશને ઊંચકી કારની ડેકીમાં મૂકી દીધી હતી અને લાશ ડેકીમાં મૂકી બંને બાળકોને કારમાં બેસાડી દીધા હતા અને કોઠારિયાથી 10 કિલોમીટર દૂર કણકોટ નજીક અવાવરૂ સ્થળે લાશ મુકી પરત આવી ગયા હતા. રાત્રે 10.30 વાગ્યાના અરસામાં બાલકૃષ્ણએ તેના મોટાભાઇ પરેશને ફોન કરી તરૂણા મકાનેથી લાપતા થઇ ગયાની જાણ કરતાં ટાંક પરિવાર અને તરૂણાના હસનવાડીમાં રહેતા ભાઇ નિકુંજ રાઠોડ સહિતનાઓએશોધખોળ શરૂ કરી હતી, અને રાત્રે 11 વાગ્યે તરૂણાના ગૂમ થવા અંગે આજીડેમ પોલીસ સ્ટેશનમાં જાણ પણ કરી હતી.
પોલીસ તથા પરિવારજનો તરૂણાની શોધખોળ કરતા હતા પરંતુ તેનો ક્યાંય પતો લાગ્યો નહોતો, આજીડેમના પીઆઇ ચાવડા સહિતના સ્ટાફને શરૂઆતથી જ બનાવ શંકાસ્પદ લાગતા શુક્રવારે સવારે બાલકૃષ્ણની આગવીઢબે પુછપરછ કરતા તે ભાંગી પડ્યો હતો અને તેણે પત્ની તરૂણાની હત્યા કર્યાની અને લાશ ફેંકી દીધાની કબૂલાત આપી હતી. પોલીસ બાલકૃષ્ણને લઇને કણકોટ પહોંચી ત્યારે તરૂણાની લાશ મળી આવી હતી. પોલીસે મૃતકના ભાઇ નિકુંજ રાઠોડની ફરિયાદ પરથી બાલકૃષ્ણ અને સિધ્ધાર્થ સામે હત્યા સહિતની કલમ હેઠળ ગુનો નોંધી બંને આરોપીની અટકાયત કરી હતી. નિકુંજ રાઠોડે આક્ષેપ કર્યો હતો કે, બાલકૃષ્ણને સુરતની હર્ષિદા નામની યુવતી સાથે પ્રેમસંબંધ હતા અને તેની સાથે લગ્ન કરવા માટે તરૂણાબેન સાથે અવારનવાર ઝઘડા કરતો હતો અને હર્ષિદાને પામવા માટે તેણે તરૂણાબેનની હત્યા કરી હતી. પોલીસે બંને આરોપીની વિશેષ પૂછપરછ શરૂ કરી હતી.
મૃતકનાભાઇ નિકુંજ રાઠોડે જણાવ્યું હતું કે, બાલકૃષ્ણએ છ મહિના પૂર્વે પણ તરૂણાબેનની હત્યાનો કારસો રચ્યો હતો. કોઠારિયાના સાંઇબાબા ચોક નજીક આવેલી 13 માળની ઇશ્વર હાઇટ્સ નામની બિલ્ડિંગે તરૂણાબેનને લઇ ગયો હતો અને 13મા માળે જઇ તરૂણાબેનને કહ્યું હતું કે, ‘તું મને પ્રેમ કરતી હો તો આંખ બંધ કર, હું તને અલગ નજારો બતાવું’ પરંતુ પતિનું છળ જાણી ગયેલા તરૂણાબેને આંખો બંધ નહી કરતા તે સમયે તેનો બચાવ થયો હતો, બાલકૃષ્ણ તે સમયે 13મા માળેથી ધક્કો મારવા ઇચ્છતો હોવાનો પણ આક્ષેપ કર્યો હતો. આમ પતિ પત્ની અને વો ના કિસ્સામાં એક પરિવાર નો માળો વિખાઈ ગયો છે.
સમાજ માં બનતા આવા બનાવો એક લાલબત્તી સમાન છે અને લગ્ન જીવનમાં આવી ઘટનાઓ ન બને તે માટે સારા વિચારો અને સારી સંગત જરૂરી છે.
