ગાંધીનગર — ગુજરાતના ઇન્કમટેક્સ સર્કલે એક સરક્યુલર વહેતો કરીને ઇન્કમટેક્સ કરદાતાઓને ચેતવણી આપી છે. વિભાગે કહ્યું છે કે કોઇપણ મેસેજ આવે અથવા તો મેઇલ આવે કે તમારૂં ઇન્કમટેક્સ રિફંડ જમા કરવાનું હોવાથી આટલી પ્રોસિઝર પૂરી કરો – આવા કોલ કે મેસેજને સાચા માનશો નહીં.
ઈન્કમ ટેક્સ વિભાગના ગુજરાત સર્કેલે લોકોને એક ખોટા ઈમેલ સ્કેમને લઈને સાવધાન કર્યા છે. આવકવેરા વિભાગે કરદાતાઓને રીફંડનો દાવો કરનારા કોઈપણ મેઈલ પર ક્લિક ન કરવા માટે કહ્યું છે. વિભાગે સોશિયલ મીડિયા પર કરદાતાઓને સતર્ક કરતા કહ્યું છે કે, તેઓ આવી કોઈપણ લિંક પર ક્લિક ન કરે કે જેમાં રીફંડનો દાવો કરવામાં આવ્યો હોય.
આવકવેરા વિભાગના અધિકારીએ કહ્યું છે કે રીફંડનો દાવો કરનારા મેઈલ આવકવેરા વિભાગ દ્વારા મોકલવામાં આવ્યા નથી તેથી કૃપા કરીને આવી કોઈપણ લિંક પર ક્લિક કરશો નહીં. ઈન્કમ ટેક્સ રિટર્ન ભરનારા લોકોને એક ફ્રોડ ઈમેલ મોકલવામાં આવે છે કે જેમાં લખ્યું હોય છે કે, ‘કોરોના વાયરસ મહામારીના કારણે કેન્દ્ર સરકારે તમામ ટેક્સ પેયર્સને પહેલા જ રિટર્ન આપવાનો નિર્ણય કર્યો છે કે જેથી તેમને સંકટ સમયમાં મુશ્કેલીઓનો સામનો ન કરવો પડે. પોતાનું રીફંડ ક્લેમ કરવા માટે આ લિંક પર ક્લિક કરો.’
આવકવેરા વિભાગ તરફથી ગ્રાહકોને ઈમેલ કરીને પિન નંબર, પાસવર્ડ કે પછી ક્રેડિટ કાર્ડ અથવા બેંક ડિટેલ્સની જાણકારી માંગવામાં આવતી નથી. વિભાગે લોકોને અપીલ કરી છે કે, આવા કોઈપણ ફ્રોડ ઈમેલનો જવાબ આપશો નહીં.


Margi Desai
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.