મુંબઈ તા.8 : શિવસેનાના ધારાસભ્ય અને સાંતાક્રૂઝમાંથી ત્રણ વાર કોર્પોરેટર રહી ચૂકેલા વિશ્વનાથ મહાદેશ્વહરની નિમણૂક મુંબઈના નવા મેયર પદે થઈ છે. બુધવારે એટલે કે આજે તેઓ મેયર પદના શપથ લીધા છે.એક અખબારના અહેવાલ મુજબ મહાદેશ્વર નગરપાલિકાના વધુ શૈક્ષણિક લાયકાત ધરાવતા સભ્યોમાંથી એક છે. તેમણે રામનારાયણ રૂઈયા કોલેજમાંથી ગ્રેજ્યુએશન કર્યું છે. પહેલા તેઓ રાજે સંભાજી વિદ્યાલાય અને જુનિયર કોલેજ સાંતાક્રૂઝના આચાર્ય હતા.મહાદેશ્વરે કહ્યું છે કે તે મુંબઈના ખાડા, એન્ક્રોચમેન્ટ્સ અને પાણીની સમસ્યા પર કામ કરશે. જ્યારે શિવસેનાના હેમાંગી વરલીકરે ડેપ્યુટી મેયરના પદ માટે નામાંકન કર્યુ છે. મેયરના ઈલેક્શનમાં ભાજપ અને શિવસેના વચ્ચે ટક્કર બરાબરની હતી. આ પહેલા થયેલી બીએમસીની ચૂંટણીમાં ભાજપને 82 જ્યારે શિવસેનાને 84 બેઠકો મળી હતી. એવામાં મહારાષ્ટ્રના સીએમ ફડણવીસે મુંબઈની મેયરની રેસમાંથી ભાજપની બહાર હોવાની જાહેરાત કરી બધાને ચોંકાવી દીધા હતા.


Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.