નવી દિલ્હી તા.7 : બાબરી મસ્જિદ ધ્વંશ કેસમાં ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી સહિત ૧૩ નેતાઓ પર ફરીથી ગુનાહિત કાવતરાનો કેસ ચાલે તેવી શક્યતા છે. સુપ્રીમ કોર્ટે જણાવ્યું છે કે ફક્ત ટેકનિકલ ગ્રાઉન્ડ પર તેમને રાહત ન આપી શકાય. આ કેસમાં મુરલી મનોહર જોશી, ઉમા ભારતી, પૂર્વ મુખ્યપ્રધાન કલ્યાણ સિંહ અને ભાજપ તથા વિહિપના કેટલાક નેતાઓ સામેલ છે.કોર્ટે સીબીઆઇને જણાવ્યું છે કે આ કેસમાં તમામ ૧૩ આરોપીઓ વિરુદ્ધ ગુનાહિત કાવતરાની પૂરક ચાર્જશીટ દાખલ કરવામાં આવે. સુપ્રીમ કોર્ટે પ્રશ્ર કર્યો છે કે બાબરી ધ્વંશ કેસમાં બે અલગ અલગ કોર્ટમાં ચાલી રહેલી સુનાવણી એક જ સ્થળે કેમ થઇ રહી નથી? કોર્ટે પૂછ્યું હતું કે રાયબરેલીમાં ચાલી રહેલા બાબરી મસ્જિદ સાથે જોડાયેલા બીજા કેસની સુનાવણીને લખનઉમાં શા માટે ટ્રાન્સફર કરવામાં ન આવે? કે જ્યાં અગાઉથી જ આનાથી સંકળાયેલા એક કેસની સુનાવણી ચાલી રહી છે. જો કે લાલકૃષ્ણ અડવાણીએ કોર્ટના નિર્દેશનો વિરોધ કરતા જણાવ્યું હતું કે આ કેસના ૧૮૩ સાક્ષીઓને ફરીથી બોલાવવા પડશે જે ખૂબ જ મુશ્કેલ છે.
કોર્ટે કાવતરાના કેસની ફરીથી સુનાવણીનો આદેશ આપવો ન જોઇએ. જો કે સીબીઆઇએ બંને કેસની સુનાવણી સાથે કરવાની તૈયારી બતાવી છે. સુપ્રીમ કોર્ટે કેસની અંતિમ સુનાવણી ૨૨ માર્ચે રાખી છે. બાબરી મસ્જિદ ધ્વંશ કેસમાં ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યપ્રધાન કલ્યાણ સિંહ, લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી, ઉમા ભારતી અને ભાજપ તથા વિહિપ નેતાઓ વિરુદ્ધ મૂકવામાં આવેલા ગુનાહિત કાવતરાના આરોપો દૂર કરવાના કેસમાં સુપ્રીમ કોર્ટ સુનાવણી કરી રહ્યું છે.

Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.