સગર્ભાઓને ભોજનમાં ધ્યાનમાં રાખવાના બાબતોની અપીલ કરાઈ ત્રણેય નવજાત બાળકોનો કોરોના ટેસ્ટ રિપોર્ટ નેગેટિવ આવતા રાહતની લાગણી જોવા મળી સયાજી હોસ્પિટલના પ્રસૂતિ અને સ્ત્રી રોગ વિભાગમાં કોરોનાની ત્રીજી લહેરની સાથે સંક્રમિત સગર્ભા મહિલાઓ માટે જુદો વોર્ડ રાખવાની પૂર્વ તૈયારીઓ લાભ દાયક બની છે.ડો.આશિષ ગોખલે પ્રસૂતિ અને સ્ત્રી રોગ વિભાગના વડા અને પ્રાધ્યાપક એ જણાવ્યું હતું કે, છેલ્લા 3 દિવસમાં કોરોના સંક્રમિત હોય તેવી ૬ સગર્ભાઓને પૂરતી પૂર્વ તૈયારી અને વ્યવસ્થાઓને લીધે સારવાર આપી છે. આ પૈકી ખાનગી દવાખાનાઓમાં ત્રણ સગર્ભા ગર્ભાવસ્થાના છેલ્લા તબક્કામાં હતી અને તેમની સારવાર ચાલી રહી હતી.નવજાત બાળકોના કોરોના ટેસ્ટ રિપોર્ટ નેગેટિવ આવ્યો પ્રસૂતિ પહેલા તેમનો કોરોના ટેસ્ટ કરવામાં આવતાં આ મહિલાઓ કોરોના સંક્રમિત હતી તેની જાણ કરવામાં આવી હતી . સયાજી હોસ્પિટલમાં રીફર કરવાનું મુખ્ય કારણ એ હતું કે ખાનગી દવાખાનામાં તેમની પ્રસૂતિ માટે જરૂરી સગવડતા પ્રાપ્ત થઇ શકી નહોતી તેથી સમય સૂચકતા દાખવીને આ મહિલાઓની સિઝેરિયન સેક્શન દ્વારા સલામત પ્રસૂતિ કરાવવામાં આવી. માતા અને નવજાત શિશુઓનું સ્વાસ્થ્ય હાલમાં સારું છે. આ નવજાત બાળકોનો કોરોના ટેસ્ટ રિપોર્ટ નેગેટિવ આવતા રાહતની લાગણી જોવા મળી રહી છે .
3 સગર્ભાઓની ગર્ભાવસ્થા શરૂઆતના તબક્કામાં હતી. આ મહિલાઓમાં વધુ લક્ષણો જોવા મળ્યા ન હતા. એટલે તેમને જરૂરી દવાઓ અને માર્ગદર્શન આપવામાં આવ્યું છે . તેઓ હાલ હોમ ક્વોરન્ટીન છે.કોરોનાના સંદર્ભમાં હાલમાં પ્રસૂતિ વિભાગમાં નિયમિત તપાસ માટે આવતી સગર્ભાઓની કાળજીપૂર્વક તપાસ કરીને યોગ્ય માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે.પરિવારો જાતે કોવિડ તકેદારીઓ ચુસ્ત રીતે પાળે કોરોના થવાથી આમ તો જે તે વ્યક્તિ જાતે મુશ્કેલીમાં મુકાય જાય છે, પરંતુ, જ્યારે સગર્ભા મહિલાને કોરોનાનો ચેપ તરત જ લાગી જાય છે, ત્યારે મહિલા ઉપરાંત તેના ગર્ભમાં રહેલું બાળક મુશ્કેલીમાં મુકાય છે. એટલે ત્રીજી લહેર ઝડપ થી વેગ પકડી રહી છે, ત્યારે જે પરિવારોમાં બહેનો સગર્ભા છે એ પરિવારોમાં તેઓ જાતે કોવિડ તકેદારીઓ ચુસ્ત રીતે પાળે અને પરિવારના સભ્યો તેને ચુસ્ત રીતે અનુસરવાની સાથે આવી બહેનો પોષણ વિષયક અને અન્ય વિશેષ કાળજી લે તે ખુબ જરૂરી છે.તબીબ સાથે વાત કરીને સગર્ભાઓએ બીજો ડોઝ લઇ લેવો જોઇએસયાજી હોસ્પિટલના ડો.આશિષ ગોખલે પ્રસૂતિ અને સ્ત્રી રોગ વિભાગના વડા અને પ્રાધ્યાપક જણાવે છે કે, જે પરિવારમાં મહિલા સગર્ભા હોય તે પરિવારનો જો કોઇ પણ સભ્ય લાયક હોવા છતાં રસી ન લીધી હોય તો સત્વરે લઈ લેવી જોઈએ.ડો.આશિષ શાહ પ્રસૂતિ અને સ્ત્રી રોગ વિભાગના વડા જી.એમ.ઈ.આર.એસ.હોસ્પિટલના ગોત્રી ઉમેરે છે કે,સગર્ભા એ જો રસીનો પહેલો કે બીજો ડોઝ લેવાનો બાકી હોય તો પોતાના તબીબ સાથે વાત કરીરસી લઈ લેવી જોઈએ.
સગર્ભાઓ ને વિશેષ લાગુ પડે છે. કોરોનાના ચેપથી બચવાની તકેદારીઓ જે અન્ય સૌ ને લાગુ પડતી છે, આ બહેનો વારંવાર સાબુનો ઉપયોગ કરે,માસ્ક અવશ્ય પહેરે અને વારંવાર તેમની જગ્યા સેનિટાઈઝ રાખે . તેઓ બિન જરૂરી બહાર જવાનું અને પ્રવાસ કરવાનું ટાળે. તૈલી અને મસાલાવાળા ભોજન અને બહાર જમવાનું શક્ય હોય ત્યાં સુધી ટાળે,સામાજિક દુરીના નિયમોનું પાલન કરે બે ત્રણ કલાકે સગર્ભાઓ થોડું થોડું ખાવાનું રાખે.એક સામટું ન જમતા થોડા થોડા સમયે બહેનો પૂરતા પ્રમાણમાં પાણી અને પ્રવાહી લેવાનું રાખે .આહાર વિહારમાં સંયમ અને કોરોના વિષયક તકેદારીઓના ચુસ્ત પાલનથી સગર્ભા અને ગર્ભસ્થ શિશુ બંનેનું કોરોના કાળમાં ઉચિત રક્ષણ થઈ શકશે એવો તબીબોનો મત છે.દૂધ,લીલા શાકભાજી, દાળ, કઠોળ, ફળો, બિન શાકાહારી પરિવાર હોય તો તકેદારી સાથે માંસ,ઈંડાનું સેવન કરે. આહાર વિહારમાં સંયમ અને કોરોના વિષયક તકેદારીનાચુસ્ત પાલનથી સગર્ભા અને ગર્ભસ્થ શિશુ બંનેનું કોરોના કાળમાં ઉચિત રક્ષણ થઈ શકશે એવો તબીબોનો મત છે.ગોત્રી હોસ્પિટલમાં સંક્રમિત સગર્ભાનો એક પણ કેસ નથી સયાજી હોસ્પિટલની સંક્રમિત સગર્ભાઓની સારવાર અને પ્રસૂતિ માટેની જુદી વ્યવસ્થાઓ ફરી એકવાર ખૂબ ઉપયોગી પુરવાર થઈ છે અને જે સારવાર ખાનગી દવાખાનામાં ન મળી તે આ સરકારી દવાખાના એ ઉપલબ્ધ કરાવી છે. અહીં નોંધ લેવી ઘટે કે, ગોત્રી હોસ્પિટલમા સંક્રમિત સગર્ભાઓની પ્રસૂતિ અને સારવારની અલગ સુવિધાઓ સજ્જ રાખવામાં આવી છે. જો કે, હજુ સુધી એક પણ કેસ આવ્યો નથી.