18th Lok Sabha: સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ લોકસભાના નવા સત્રને લઈને એક મહત્વપૂર્ણ માહિતી શેર કરી છે. તેમણે સોશિયલ મીડિયા પર નવી લોકસભા સત્ર ક્યારે શરૂ થશે અને ક્યારે સમાપ્ત થશે તેની માહિતી આપી છે.
લોકસભા ચૂંટણીમાં પૂર્ણ બહુમતી મેળવ્યા બાદ કેન્દ્રમાં સતત ત્રીજી વખત એનડીએની સરકાર બની છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં મંત્રી પરિષદે પણ પોતાનું કામ સંભાળી લીધું છે. દરમિયાન હવે તમામની નજર સંસદ પર છે. નવા સંસદીય કાર્ય મંત્રી કિરેન રિજિજુએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર સંસદ સત્ર સંબંધિત માહિતી શેર કરી છે.
First Session of 18th Lok Sabha is being summoned from 24.6.24 to 3.7.24 for oath/affirmation of newly elected Members, Election of Speaker, President’s Address and discussion thereon. 264th Session of Rajya Sabha will commence on 27.6.24 and conclude on 3.7.24. https://t.co/8OCbfg4CT1
— Kiren Rijiju (@KirenRijiju) June 12, 2024
સંસદનું સત્ર 24 જુલાઈથી શરૂ થશે
તેમણે કહ્યું કે 18મી લોકસભાનું પ્રથમ સત્ર 24 જૂનથી 3 જુલાઈ સુધી ચાલશે. જેમાં નવા સભ્યોને શપથ લેવડાવવામાં આવશે. સ્પીકર ચૂંટાશે. રાષ્ટ્રપતિના સંબોધન પર ચર્ચા થશે.
3જી જુલાઈના રોજ સમાપ્ત થશે
કિરેન રિજિજુએ કહ્યું કે સત્રના પ્રથમ ત્રણ દિવસમાં નવા ચૂંટાયેલા સભ્યોને શપથ ગ્રહણ કરવામાં આવશે. ગૃહના અધ્યક્ષ માટે પણ ચૂંટણી થશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ 27 જૂને બંને ગૃહોની સંયુક્ત બેઠકને સંબોધશે અને આગામી પાંચ વર્ષ માટે નવી સરકારનો રોડમેપ રજૂ કરશે. સંસદનું સત્ર 3 જુલાઈના રોજ પૂરું થશે.