ગુજરાત દરેક રાજ્યોમાં દહાડે ને દહાડે હવે કોરોનાના કેસ વધી રહ્યા છે હાલ રાજ્યમાં 1000થી વધુ નવા કેસોનો ઉછાળો થયો છે ત્યારે છેલ્લા કેટલાક મહિના થી માસ્કનું વેચાણ બંધ થતાફરી મશીનો ફરી ધમધમતા થયાં છે 10 દિવસ ની અંદર જ માસ્ક નું વેચાણ ધમધોકાર ચાલી રહ્યું છે હાલ રાજ્યભરમાં દૈનિક 80 લાખથી વધુ માસ્કનું ઉત્પાદન થયું છે જ્યારે બીજી લહેર દરમિયાન 1 કરોડ માસ્કનું ઉત્પાદન કરવામાં આવતું હતું. જુલાઈ બાદ માસ્કનું ઉત્પાદન ઘટીને સરેરાશ 40-50 લાખ રહ્યું હતું કોરોનાની પહેલી અને બીજી લહેર દરમિયાન જ્યારે કોરોના પીક પર હતો ત્યારે લોકો પ્રોટોકોલનું પાલન કરતા હતા પણ જેવા કોરોનાના કેસની પરિસ્થિતિ માં વધારો થતા લોકોએ ગાઇડલાઇન્સનું ઉલ્લંઘન કરવાનું શરૂ કર્યું ત્રીજી લહેર આવી ગઈ અને લોકોએ માસ્ક લેવાનું ફરીથી ખરીદી કરવાનું ચાલુ કરી દીધું છે છેલ્લા પાંચ મહિનાથી માસ્ક ઉત્પાદનનાં મશીન બંધ હતાં અથવા તો મર્યાદિત માત્રામાં જ ઉત્પાદન થઈ રહ્યું હતું, ત્યાં હવે પુરજોશમાં ફરીથી ઉત્પાદન શરૂ થયું છે.
માસ્કનું ઉત્પાદન કરતા અમદાવાદના કઠવાડા જીઆઇડીસી સ્થિત ખાંધલા એન્ટરપ્રાઇઝના સંચાલક જયેશ ખાંધલાએ વાતચીતમાં જણાવ્યું હતું કે પાછળ ના દસ દિવસ દરમિયાન ફરીથી હોલસેલ માર્કેટમાં માસ્કની માંગ વધી છે અને માસ્કના ઓર્ડર મળવાની શરૂઆત થઈ છે.ગુજરાતી માસ્કનું ઉત્પાદન કરતા અંદાજે 40 જેટલા ઉત્પાદક છે બીજી વેવ દરમિયાન માસ્કનું ઉત્પાદન 1 કરોડથી વધુનું હતું, જે જૂન-જુલાઈ માસ સુધી ચાલ્યું. જોકે કોરોનાના કેસ ઓછા થવાથી માસ્કની સલાહ આપતાં ઉત્પાદન 40-50 લાખ સુધી રહ્યું હતું. જોકે હવે કોવિડના કેસ અને ઓમિક્રોન વેરિયન્ટથી સતર્ક સુંદર કારણે માસ્ક ની માગ વધી છે જેથી હવે દૈનિક 80 લાખથી વધુ માસ્ક બની રહ્યાં છે આ ઉપરાંત હાલ ગુજરાતમાં 3 કરોડથી વધારે માસ્કનો જથ્થો ઉપલબ્ધ છે
બીજી લહેર પછી માસ્કનું વેચાણ બંધ પડી ગયું હતું પરંતુ એ જથ્થો કેરળ સહિત દક્ષિણ ભારતમાં કેસ વધારે હોવાથી ત્યાં પુરવઠા કરવામાં આવતો હતો. હવે ફરી એકવાર ગુજરાત સહિત દેશભરમાં ધીમે ધીમે કેસમાં વધારો થઈ રહ્યો છે જેથી ઉત્પાદનમાં વધારો કરવો પડ્યો છે. વેપારીઓ પાસે માસ્કનો જથ્થો પર્યાપ્ત માત્રામાં ઉપલબ્ધ છે પરંતુ હાલની પરિસ્થિતિને જોતાં લોકોમાં જાગૃતિનો અભાવ જોવા મળી રહ્યો છે, જેથી લોકો જાહેર સ્થળોએ જતી વખતે માસ્કનો ઉપયોગ કરે એ વધુ હિતાવહ છે.મોટા ભાગે જોઈએ તો માસ્ક 3 પ્રકારનાં હોય છે સર્જિકલ માસ્ક, N-95 માસ્ક અને ફેબ્રિક કે કપડાના બનેલા માસ્ક. N95 માસ્ક કોરોના વાઇરસ જેવા સંક્રમણથી બચવા માટે સૌથી ઉત્તમ માસ્ક માનવામાં આવે છે. એ સરળતાથી મોં અને નાક પર ફિટ થઈ જાય છે અને બારીક કણોને પણ નાક કે મોંમાં જતા રોકે છે. એ હવામાં રહેલા 95 ટકા કણોને રોકવામાં સક્ષમ છે, તેથી એનું નામ N95 પડ્યું છે જ્યારે સામાન્ય સર્જિકલ માસ્ક પણ લગભગ 89.5% સુધી કણોને રોકવામાં સક્ષમ હોય છે. આ બંને માસ્ક હેલ્થકેરવર્કર્સ માટે હોય છે. કપડાના માસ્ક પણ માર્કેટમાં જોઈ શકાય છે.