દેશભરમાં ઓમિક્રોનનો ભરખી રહ્યો છે ત્યારે ગુજરાતનો પડોશી રાજ્ય રાજસ્થાનમાં ઓમિક્રોનથી એક વ્યક્તિનું મોત થતાં હળભળાટ મચી ગયો છે આમ દેશમાં નવા ઓમિક્રોનથી 2 લોકોના મોત થયાં છે રાજસ્થાનના ઉદયપુરમાંથી આવ્યા મોટા સમાચાર અહીં ઓમિક્રોનથી સંક્રમિત 73 વર્ષીય વ્યક્તિએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. ઓમિક્રોનથી સંક્રમિત દર્દીના મૃત્યુનો દેશમાં આ બીજો કેસ છે. સંક્રમણ થયા બાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા 21 ડિસેમ્બરે કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો મહારાષ્ટ્રના પિંપરી ચિંચવાડની મ્યુનિસિપલ કોર્પોરેશનની હોસ્પિટલમાં 28 ડિસેમ્બરે હૃદયરોગના બીમારીથી 52 વર્ષીય દર્દીનું મોત નીપજ્યું હતું. તેના સેમ્પલોને જીનોમ સિક્વન્સ મોકલવામાં આવ્યા હતા રિપોર્ટ ગુરુવારે આવ્યો હતો જેમાં તે ઓમીક્રોન પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું ઓમિક્રોન પોઝિટીવ 52 વર્ષીય દર્દી તાજેતરમાં નાઇજીરિયાથી પાછો ફર્યો હતો. તે ૧૩ વર્ષથી ડાયાબિટીસથી પીડાતો હતો.જોકે મહારાષ્ટ્ર સરકારનું કહેવું છે કે ઓમિક્રોન દર્દીનું મૃત્યુ નોન-કોવિડ કારણોસર થયું હતું. રાજ્યના જાહેર આરોગ્ય વિભાગે જણાવ્યું હતું કે આ એક સંયોગછે કે આજે નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજીમાં મોકલવામાં આવેલા મૃતકોના નમૂનાઓના અહેવાલમાં તે ઓમિક્રોનથી સંક્રમિત હોવાનું જાણવા મળ્યું હતું.
ભારતમાં ઓમીક્રોનનો ખતરો દિવસે ને દિવસે ભરખી રહ્યો છે આજે કોરોનાનાં કુલ નવા કેસનો આંકડો 16000 ઉપર પહોંચ્યો હતો તો સામે ઓમીક્રોનના કેસ આંકડો 1200 ઉપર પહોંચી ગયા છે.અત્યાર સુધીમાં ઓમિક્રોન વેરિઅન્ટ દેશના 23 રાજ્યોમાં ફેલાઈ ગયો છે કોરોનાના નવા ઓમિક્રોન સૌથી વધુ દર્દીઓ મહારાષ્ટ્રમાં જોવા મળ્યા છે મહારાષ્ટ્રમાં ઓમિક્રોન વેરિઅન્ટના કુલ દર્દીઓની સંખ્યા 450 થઈ ગઈ છે. તો દિલ્હી બીજા નંબર પર છે જ્યાં ઓમિક્રોનના 320 કેસ મળી આવ્યા છે.ઓમિક્રોનના ખતરા વચ્ચે દેશમાં કોરોનાના નવા કેસની સંખ્યા 10,000ને પાર કરી ગઈ છે. દેશમાં 16,764 નવા કોરોનાનાં કેસ આવ્યા હતા અને 220 દર્દીઓના મોત થયા હતા.કેરળમાં 109, ગુજરાતમાં 97, રાજસ્થાનમાં 69 અને તેલંગાણામાં 62 દર્દીઓ મળી આવ્યા છે. તમિલનાડુમાં ઓમિક્રોનના 46 દર્દીઓ મળી આવ્યા છે, જેમાંથી 29 સાજા થઈ ગયા છે કર્ણાટકમાં ઓમિક્રોનના 34 દર્દીઓ મળી આવ્યા જેમાંથી 18 સાજા થઈ ગયા છે. આંધ્ર પ્રદેશમાં ઓમિક્રોનના 16 દર્દીઓ મળી આવ્યા છે.ઘણા રાજ્યોએ ઓમિક્રોન વેરિઅન્ટને લઈને સાવધાન રહેવાનું જાણવામાં આવ્યું છે પશ્ચિમ બંગાળ સરકારે ગુરુવારે જણાવ્યું હતું કે તે 3 જાન્યુઆરીથી યુકે અને સૌથી વધુ જોખમ ધરાવતા’ દેશોની તમામ સીધી ફ્લાઈટ્સ સ્થિર કરી રહી છે મહારાષ્ટ્ર સરકારે કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને લગ્ન, સામાજિક, રાજકીય, ધાર્મિક કાર્યક્રમો અને અંતિમ સંસ્કારમાં હાજરી પર નવેસરથી પ્રતિબંધની જાહેરાત કરી છે હવે લગ્ન અથવા અન્ય સામાજિક, રાજકીય અથવા ધાર્મિક કાર્યક્રમોમાં ફક્ત 50 લોકોને જ મંજૂરી આપવામાં આવશે. અંતિમ સંસ્કારમાં માત્ર 20 લોકો જ હાજર રહી શકશે.