અમદાવાદ શહેરમાં નવા વર્ષના પ્રારંભમાં કોરોના વિસ્ફોટ સાથે સ્વાગત થઈ ચૂક્યું છે.1 જાન્યુઆરીથી 5 જાન્યુઆરી સુધીમાં શહેરમાં કોરોનાના કેસનો આંકડો 4764 જેટલા કેસ નોંધાયા છે બુધવારે શહેરમાં કોરોનાના નવા 1637 કેસ નોંધાયા છે. કોરોનાથી એક પણ દર્દીનું મોત થયુ નથી. ૫૨ દર્દી સાજા થતા ડિસ્ચાર્જ આપવામાં આવ્યો છે.SVP. હોસ્પિટલમાં કોરોનાના 22 અને ઓમિક્રોનના બે દર્દી સારવાર હેઠળ છે. કોરોનાનો વિસ્ફોટ થતા મહાનગરપાલિકા દ્વારા શહેરમાં આવેલી દરેક સોસાયટી, ફલેટ કે કોમ્પલેકસના અધ્યક્ષ અથવા પ્રતિનિધિએ તમામ રહીશો કોવિડનું પાલન કરે તે સુનિશ્ચિત કરવાની જવાબદારી સોંપવામાં આવી છે શહેરના જોધપુર, આનંદનગર, બોપલ ઉપરાંત શેલા, વાડજ , પાલડી સહીતના વિસ્તારોમાં કોરોના વિસ્ફોટ થયો છે. નવા જાહેર કરવામાં આવેલા ૨૩ માઈક્રોકન્ટેઈન્મેન્ટ સ્થળ પૈકી ૧૮ સ્થળ ઉત્તર-પશ્ચિમ,દક્ષિણ-પશ્ચિમ અને પશ્ચિમના વિસ્તારનો સમાવેશ થાય છે. આ વિસ્તારોમાં 1200 જેટલા કેસ નોંધાયા હોવાનું જાણવા મળે છે.
અમદાવાદમાં પાંચ દિવસમાં કોરોનાના 3127કેસ સામે આવ્યા છે મ્યુનિ.તંત્રે સંક્રમણને નિયંત્રણ કરવા સોસાયટી, ફલેટ વગેરેના કોવિડ સંયોજકોને તમામ સભ્યોએ કોરોના રસી લીધી છે કેમ? તે ઉપરાંત બીજો ડોઝ બાકી હોય એવા તમામ લોકો રસી લે તેવી ખાતરી કરાવવાની રહેશે. માઈક્રોકન્ટેઈન્મેન્ટમાં આવતા વિસ્તારના ઘરના તમામ સભ્યોને કન્ટેઈન્મેન્ટ અંગે માહિત ગાર કરવાના રહેશે.બુધવારે શહેરમાં ૧૫થી ૧૮ વર્ષના બાળકો પૈકી 40164 બાળકોને કોરોના રસી આપવામાં આવી હતી. મ્યુનિ.દ્વારા મેગા વેકિસન ડ્રાઈવ આંતરિક ૪૭,૨૨૨ લોકોને કોરોના રસીકરણનો પહેલો તથા ૧૮૯૫૮ લોકોને રસીનો બીજો ડોઝ એમ કુલ મળીને 66180 લોકોને કોરોના રસી આપવામાં આવી હતી. અમદાવાદમાં સતત વધી રહેલા કોરોના સંક્રમણની વચ્ચે નવા ૨૩ સ્થળ માઈક્રોકન્ટેઈન્મેન્ટમાં મુકવામાં આવતા શહેરના કુલ108 સ્થળ માઈક્રોકન્ટેઈન્મેન્ટમાં મ્યુનિ.તંત્રે મુકયા છે. બુધવારે ઉત્તર-પશ્ચિમ ઝોનના દસ સ્થળ ઉપરાંત દક્ષિણ-પશ્ચિમના પાંચ સ્થળ તથા પશ્ચિમ ઝોનના ત્રણ સ્થળ ઉપરાંત મધ્યઝોનના બે, પૂર્વઝોનના બે અને ઉત્તરઝોનના એક સ્થળને માઈક્રોકન્ટેઈન્મેન્ટમાં મુકાયા હતા.
જાણો કયા-કયા સ્થળ માઈક્રોકન્ટેઈન્મેન્ટમા?
બુધવારે દક્ષિણ-પશ્ચિમ ઝોનના જોધપુર વોર્ડમાં આવેલા નંદનવન-૨ ઉપરાંત સ્કાલેર્ટ હાઈટસ, બોપલમાં આર્યન ગ્લોરીયા, શેલામાં ઓર્ચિડ હાર્મોની, નિકોલમાં શાંતિનિકેતન-૧, રાધે ગોવિંદ ગેલેક્ષી, હાજા પટેલની પોળ, શિવાલીક રેસિડેન્સી, શાહીબાગ,નહેરુનગર, કુબેરનગર, વાડજમાં સોમનાથનગર,પાલડીમાં મંગલતીર્થ ટાવર, આંબાવાડીમાં નયન એપાર્ટમેન્ટ, સીતાડેલ ગ્રીન, સોલા, સર્વોદયનગર-૧, ઘાટલોડીયા, તીર્થનગર વિભાગ-૧, ઘાટલોડીયા, સોંદર્ય એપાર્ટમેન્ટ, ઘાટલોડીયા, ઈસ્કોન પ્લેટિનમ, બોપલ, ગોદરેજ ગાર્ડન સિટી, ચાંદલોડીયા, રત્નમ ટાવર, બોડકદેવ ઉપરાંત સૂર્યોદય ટાવર, સોલા, કાવેરી પ્રથમ, થલતેજ તથા બાલાજી એવન્યુ, વસ્ત્રાપુરના કોરોના સંક્રમિત સ્થળને મ્યુનિ.તંત્રે માઈક્રોકન્ટેઈન્મેન્ટમાં મુકયા છે.શહેરમાં જોધપુર ઉપરાંત બોડકદેવ, નવરંગપુરા ઉપરાંત પાલડી કોરોનાના હોટ સ્પોટ બન્યા છે. જોધપુર વોર્ડમાં કોરોનાના ૧૭૮થી વધુ કેસ, બોડકદેવ વોર્ડમાં ૧૫૦થી વધુ, નવરંગપુરામાં ૧૪૫ થી વધુ અને પાલડીમાં ૬૦ થી વધુ કોરોનાના કેસ નોંધાયા હોવાનું આધારભૂત સૂત્રોમાંથી જાણવા મળે છે.